ભરૂચનાં નેત્રંગ તાલુકાના જીનબજાર વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડમાં રહેતા સુલેમાન સિદિક મંગલીયા ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. જોકે તેઓ સવારના દુધ લઈને પરત ફરતાં દરમ્યાન રસિક કુમારસિંગ વસાવાએ કોઈ અગમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાનને માથાના ભાગે મારતા લોહીલુહાણ થતાં જમીન ઉપર ઢળી પડ્યો હતાં. જોકે બાદમાં એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર કરાવી અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જતી વેળા મોત નિપજ્યું હતું. બનાવ અંગે નેત્રંગ પોલીસે રસિક કુમારસિંગ વસાવાને ઝડપી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application