Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા ખાતેનાં પરિવારનાં બે સંતાનો ગંગા નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું

  • December 27, 2024 

તાપી જિલ્લાનાં વાલોડ તાલુકાનાં બાજીપુરા ખાતે રહેતો પવાર પરિવાર હરિદ્વાર યાત્રાએ ગયો હતો જ્યાં ગંગાસ્નાન વખતે પરિવારના બે સંતાનો પૈકી એક દીકરો અને એક દીકરી ગંગા નદીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યાં હતાં. તેમના દેહને પ્લેન દ્વારા સુરતથી બાજીપુરા લાવવામાં આવ્યા હતા. બાજીપુરા શાળાએ વિદ્યાર્થીઓના મોતને પગલે મૌન પાળી શાળામાં રજા આપી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું. બાજીપુરા વલ્લભનગરમાં રહેતા વિપુલભાઈ પવાર પરિવાર સાથે અને અન્ય પરિવારના ૧૨ સભ્યો ભેગા ત્રણ દિવસ પહેલા ટ્રેનમાં હરિદ્વાર યાત્રાએ ગયા હતા.


જ્યાં ઘાટ ઉપર ગંગા નદીમાં સ્નાના કરતી વેળા પરિવારના બે સંતાનો પૈકી ૧૩ વર્ષની પ્રતીષા અને ૬ વર્ષનો દર્શન ઘાટ પર સ્નાન કરતી વેળા પગ લપસતા ડૂબી ગયા હતા અને એમનું કરુણ મોત નીપજ્યું હતું. બાજીપુરાના બંને બાળકોના મૃત શરીરને હરિદ્વારથી પ્લેન મારફત સુરત અને સુરતથી બાજીપુરા ખાતે લાવવામાં આવ્યા હતા. બાજીપુરા હાઈસ્કૂલમાં અંગ્રેજી મીડિયમમાં ભણતા બંને વિદ્યાર્થીઓનાં મોતને પગલે શાળામાં ગમગીની છવાઈ ગઈ હતી. ગુરુવારે સવારે મૌન પાળી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખી બંને વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હરિદ્વારા યાત્રાએ ગંગા નદીમાં સ્નાન કરતી વેળા ડૂબી જવાથી બે સંતાનોના મોતને પગલે પવાર પરિવારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application