નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં અરજદાર પાસેથી લાંચ પેટે આઈફોન લેવાના ગુનામાં એ.સી.બી.ના હાથે ઝડપાયેલા પી.આઈ. ડી.જે. કુંબાવતને કોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૪ મહિના પહેલા સન ૨૦૨૪ની ૧૬મી નવેમ્બરના રોજ નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે ફરજ બજાવતા દિનેશ જમનાદાસ કુંબાવત દ્વારા એક અરજદાર પાસેથી લાંચ પેટે એપલ આઈફોન-૧૬ પ્રો મેક્સની માંગણી કરી હતી.
જે અંગેની ફરિયાદમાં એ.સી.બી.એ ગોઠવેલા છટકામાં પી.આઈ. ડી.જે. કુંબાવત તેમની ચેમ્બરમાં જ લાંચ પેટે માંગેલો આઈફોન લેતા એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા હતા. છેલ્લા ૧૪ મહિનાથી જેલમાં રહેલા પી.આઈ. ડી.જે. કુંબાવત તેમના એડવોકેટ પ્રતાપસિંહ મહીડા મારફતે જામીન ઉપર મુક્તિ મેળવવા નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં નામદાર વિદ્વાન જજ કાજલ ડી.દવે આરોપી ડી.જે.કુંબાવતની રૂ.૫૦ હજારના શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application