Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં વીરપુર ફાટક પાસેનાં અકસ્માતમાં સાયકલ ચાલકનું મોત નિપજ્યું

  • April 14, 2025 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વીરપુર ફાટક પાસે જાહેર રોડ ઉપર ગાળકુવાનાં સાયકલ ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સાયકલ ચાલકનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે વ્યારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ગાળકુવા ગામનાં આમલી ફળિયામાં રહેતા કાનજીભાઈ ચેમાભાઈ ગામીત (ઉ.વ.63)નો ગત તારીખ ૨૭/૦૩/૨૦૨૫ નાંરોજ બેડકુવાનજીકથી ચોરવાડ સાયકલ લઈને આવતાં હતા.


તે દરમિયાન વ્યારા તાલુકાનાં વીરપુર ફાટક પાસે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કાનજીભાઈની સાયકલે ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં કાનજીભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમણે સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર લાવવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી યુનિક હોસ્પિટલ સુરત ખાતે અને ત્યાંથી પણ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાં સારવાર દરમિયાન કાનજીભાઈનું તારીખ ૦૫/૦૪/૨૦૨૫ નાંરોજ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગણેશભાઈ કાનજીભાઈ ગામીતનાંએ તારીખ ૧૩/૦૪/૨૦૨૫ નાંરોજ વ્યારા પોલીસ મથકે  અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application