સુરત જિલ્લાનાં ઉમરપાડાનાં વડપાડા ગામે પતિના કાયમી માનસિક ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિણીતાનો પિતાએ જમાઈ વિરુદ્ધ મરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, વિક્રમભાઇ હુંગાભાઇ વળવીની પુત્રી ધર્મીષ્ઠાનાં લગ્ન ઉમરપાડાનાં વડપાડા ગામે રહેતા નરેશ દાનસીંગભાઇ વસાવા સાથે થયા હતા. પતિ નરેશ છેલ્લા ત્રણેક વર્ષથી પત્નીને હેરાન કરતો હતો. તે તુ ગાંડી છે તેમ કહી ગાળો આપી અપમાનિત કરી અવારનવાર મારમારી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જેથી કંટાળેલ ધર્મીષ્ઠાબેને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે પરિણીતાનાં પિતા વિક્રમભાઇએ પતિની કરતુત અંગે ઉમરપાડા પોલીસ મથકે જાણ કરી હતી. આમ, પોલીસે નરેશ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application