Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરેઠનાં નાગજીપુરામાં કારની ટક્કરે બાળકનું મોત નિપજ્યું

  • May 07, 2025 

આણંદ જિલ્લાનાં નાગજીપુરા સીલી રોડ ઉપર માર્ગની બાજુમાં પગપાળા જતાં ૬ વર્ષીય બાળકને કાર ચાલકે ટક્કર મારતાં બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગે  ખંભોળજ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરેઠ તાલુકાના નાગજીપુરા ખાતે રહેતા ચંદ્રસિંહ જશવંતસિંહ ચૌહાણનો છ વર્ષીય પુત્ર સુનિલ ગતરોજ ગામમાં એક લગ્ન પ્રસંગ હોવાથી પોતાના મોટાભાઈ તથા ગામના અન્ય માણસો સાથે લગ્ન પ્રસંગમાં જમીને ચાલીને ઘરે પરત ફરતા હતાં. આ દરમિયાન નાગજીપુરા સીલી રોડ ઉપર પૂરઝડપે આવતી કારના ચાલકે માર્ગની સાઈડમાં ચાલતા છ વર્ષીય સુનિલને ટક્કર મારતા તે નીચે પટકાયો હતો. બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈકને અકસ્માત સર્જનાર જયદીપસિંહ ગોહિલ પોતાની કારમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતાં. જ્યાં ફરજ પરના તબીબે બાળકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ખંભોળજ પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application