Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં ટ્રેલર સાથે બાઈક અથડાતા બાઈક ચાલકનું મોત નિપજયું

  • May 07, 2025 

અંકલેશ્વરના નિયમ ચોકડી પાસે આવેલ શ્રીરંગ રેસીડન્સીમાં રહેતા પંકજ બાબુ વળીયા જોલવા ગામે શ્રીજી પ્રોસેસ કંટ્રોલ કંપની ચલાવે છે તેઓ ઘરે હતા. તે સમયે તેમની કંપની પરથી તેમના નાના ભાઈ વિપૂલે ફોન કરી જણાવ્યુ હતુ કે, કંપનીમાં કામ કરતો પ્રદિપ રાત્રે નવેક વાગ્યે બાઈક લઈને કામ અર્થે કંપનીમાંથી બહાર નીકળ્યો હતો. દરમ્યાનમાં નજીકમાં આવેલી થીરૂમલાઈ કંપનીની સામે એક ટ્રેલર ઉભુ હતુ.


તેમાં તેની બાઈક ધડાકાભેર ભટકાઈ જતા તેને ગંભીર ઈજાઓ થઈ છે. નાના ભાઈ વિપૂલનો ફોન આવતા જ તેઓ તુરંત જોલવા તેમની કંપનીએ જવા નીકળી ગયા હતા. ત્યાં પહોંચતા ઈજાગ્રસ્ત પ્રદિપને જોલવા ગામના એક ખાનગી દવાખાનામાં લઈ ગયા હોવાનું માલુમ પડતા તેઓ ત્યાં ગયા હતા. જઈને જોતા પ્રદિપકુમાર રાજમનું સારવાર વેળા મોત નીપજયુ હોવાનું માલુમ પડયુ હતુ. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application