Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં વેરાની ભરપાઈ ન કરનાર ૧૭ જેટલી દુકાન અને મકાનોને સીલ કરાઈ

  • May 05, 2025 

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર નોટિફાઈડ એરીયા ઓથોરીટી દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી વેરાની ભરપાઈ ન કરનાર ૧૭ જેટલી દુકાન અને મકાનોને સીલ કરવામાં આવ્યા છે. સીલીંગની કાર્યવાહી દરમિયાન ઘર્ષણ ન સર્જાય એ માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વર નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનો અને દુકાનો આવેલા છે. આ મકાનો અને દુકાનોને માલિકોએ વેરો ભરવાનો હોય છે.


પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેરો ભરવા અખાડા કરતા મિલકત ધારકો સામે નોટિફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ વેરાની ભરપાય ન કરનાર ૧૭ જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઈડ એરીયા ઓથોરીટી દ્વારા સીલ કરવામાં આવી છે. આજે સવારના સમયે નોટિફાઈડ એરીયા ઓથરીટીની વિવિધ ટીમ અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં પહોંચી હતી અને સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. સીલ કરાયેલ મિલકતના માલિકો છેલ્લા દસ વર્ષથી લાખો રૂપિયાના વેરાની ભરપાઈ કરતા ન હતા ત્યારે તેઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application